
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021

મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગ્રામીણ યુવક-યુવતિઓને પગભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે .
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021 હેઠળ રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂા.૬૦ કરોડની નાણાકીય જોગવાઇ કરી છે.
જેમાં ૯૬% રકમ યોજના માટે વાપરવામાં આવશે અને ૪ % રકમ વહીવટી ખર્ચમાં ઉપયોગમાં લેવામાં આવશે.
આ યોજનાનો ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તેમના જિલ્લા કક્ષાના માળખા મારફતે અમલ કરવામાં આવશે.
ગ્રામોદય યોજનામાં મહિલાઓ/યુવાનોને આર્થિક સશક્તિકરણ તરફ લઇ જવા માટે
તેઓને શરૂઆતથી જ એન્કર ઉદ્યોગ સાથે નામાંકિત નાણાંકીય સંસ્થાઓ સાથે / બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવે છે.
જે અંતર્ગત ઔદ્યોગિક ઉત્પાદકોને એન્કર તરીકે જોડી એમના ક્ષેત્રમાં ખુટતી કડી દુર કરી તેમના ઉત્પાદનમાં વધારો કરવા માટે
સ્વસહાય જુથ, જોઇન્ટ લાયબીલીટી જુથો અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો સામેલ કરવા.
નાણાંકીય સંસ્થાઓ જેવી કે, બેંક, ઇન્સ્યોરન્સ કંપની વિગેરેને
પ્રથમથી સ્વસહાય જૂથ અને જોઇન્ટ લાયબીલીટી જુથ સાથે જોડી તેમને જરૂરી તાલીમ આપી તેમને ફોર્મલ સેક્ટરમાં લાવવા.
આ યોજનામાં પણ મહિલાશક્તિ-બહેનોને 2 ટકા વધારાની વ્યાજ સહાય અપાશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ રાજ્યમાં 2.50 લાખ સખીમંડળોની સંખ્યા બે ગણી કરવાની નેમ વ્યકત કરી હતી.
આ GST સહેલી તેમજ મુખ્યમંત્રી ગ્રામોદય યોજનામાં બેન્કો, ફિક્કી, ઊદ્યોગો સૌ સાથે મળીને જોડાય
મહિલાઓ તથા યુવાશક્તિને પગભર થવાના અવસરો આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
યોજનાનો હેતુ
સ્વ સહાય જૂથ, જોઇન્ટ લાયબીલીટી જુથો અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો
અને વ્યક્તિગત રીતે યુવાનો અને મહિલાઓને આર્થિક લાભ અપાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
અન્ય સરકારી યોજનાની જાણકારી
યોજનાનો ઉદ્દેશ
• બેરોજગાર લોકોને રૂ.૮૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીની માસિક રોજગારી મળી રહે.
યોજનાની અમલવારી
• રાજ્ય સરકારશ્રી ધ્વારા ગરમીન વિસ્તારના બેરોજગાર પુરુષ કે સ્ત્રીઓને વિવિધ એજન્સીઓ
મારફત રૂ.૮,૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- સુધીની માસિક રોજગારી મળી રહે તે પ્રકારની સુવિધા આપવામાં આવે છે.
ક્યાં થી લાભ મળે?
• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઈવલી
હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો
4 thoughts on “મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021”
Comments are closed.